વ્યસન અને IVF: જો પુરુષો આ 2 ખરાબ આદતો નહીં છોડે, તો તમારા IVF સફળતાના દરમાં મોટો ફટકો પડશે.

વ્યસન અને IVF જો પુરુષો આ 2 ખરાબ આદતો નહીં છોડે તો તમારા IVF સફળતાના દરમાં મોટો ફટકો પડશે.

સફળ ગર્ભસ્થાપન માટે પુરુષ અને સ્ત્રી બંનેની ભાગીદારી જવાબદાર છે. સમસ્યા એ છે કે, આજના પુરુષોમાં વ્યસન નું પ્રમાણ વધારે જોવા મળે છે. વધુ પડતા બેસનના કારણે સ્પર્મ (શુક્રાણુ) ઉપર પણ ગંભીર અસર થવાની શક્યતા છે જેથી પિતૃત્વ નું સપનું પૂરું થવાની શક્યતા ઓછી થઈ જાય છે. આવા કિસ્સાઓમાં પુરુષોએ તમાકુ નું વ્યસન વહેલી તકે છોડવું જરૂરી બની રહે છે.

IVF માં પુરુષનું યોગદાન: 50% જવાબદારી

ગર્ભસ્થાપન માટે એગ અને સ્પર્મ (શુક્રાણુ) બંને જવાબદાર હોય છે. ખાસ સ્પર્મ (શુક્રાણુ) ની ગુણવત્તા જ નક્કી કરશે કે ગર્ભ કેટલું સ્પષ્ટ અને મજબૂત બનશે. અને જેટલું ગર્ભ સ્વસ્થ અને મજબૂત હોય તેટલું જ બાળક સ્વસ્થ હોય છે અને ગર્ભધારણની શક્યતાઓ વધારે રહે છે. પણ વ્યસન ની વાત કરીએ તો વ્યસન ની અંદર રહેલા ઝેરી કીટાણુઓ સ્પર્મ (શુક્રાણુ) ના DNA ને નુકસાન પહોંચાડે છે.

1) ધુમ્રપાન નો ખતરો

જ્યારે તમે સિગારેટ પીવો છો ત્યારે તેમાંથી નીકળતા ઝેરી દ્રવ્યો એ ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધારે છે. આ સ્પર્મ (શુક્રાણુ) ના DNA ને તોડી નાખે છે. જેના કારણે સફળ ગર્ભસ્થાપન થઈ શકતું નથી અને નિષ્ફળતા ની સંભાવના વધી જાય છે. જેથી વહેલી તકે ધૂમ્રપાન છોડવું જરૂરી છે.

2) આલ્કોહોલ અને તમાકુ, હોર્મોનલ સંતુલન

પુરુષો તો સમજ્યા પણ આધુનિક લાઇફસ્ટાઇલ ના કારણે સ્ત્રીઓ પણ ગર્ભાવસ્થા દરમિયાન આલ્કોહોલ કે તમાકુ નું સેવન કરતી જોવા મળે છે. ખાસ આલ્કોહોલ ના કારણે પુરુષો માં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન નબળા પડે છે. જે IVF સારવાર માટે ખતરારૂપ છે.

✓ Candor IVF ની સલાહ: 90 દિવસ ની પરીક્ષા

સ્પર્મ (શુક્રાણુ) ની ફરી રિકવર કે પરિપક્વ થવામાં 90 દિવસનો સમય લાગે છે. એટલા માટે IVF ની યાત્રા શરૂ થયા પેહલા પુરુષો એ ઓછા માં ઓછા 3 મહિના પેહલા આવા વ્યસનનો છોડી દેવા જોઈએ.

 

જો તમે તમારા આવનારા બાળક ને તંદુરસ્ત જોવા માંગતા હોવ તો તમારું આ એક પગલું પણ સકારાત્મક બની રહેશે. તો ચાલો, Candor ની IVF ટ્રીટમેન્ટ સાથે તમાકુ જેવા વ્યસનો ને છોડીને એક સ્વસ્થ પરિવારનું નિર્માણ કરીએ.

Blogs

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે

શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

Read More »
IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

Read More »
ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે? Candor IVF ની વિશેષ સલાહ

ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમય માં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Read More »