વારંવાર કસુવાવડ? આ 5 કારણો જાણવા ખૂબ જ જરૂરી…!

વારંવાર કસુવાવડ_ આ 5 કારણો જાણવા ખૂબ જ જરૂરી...!-image

કોઈપણ દંપતી ઇચ્છતું નથી કે તેને કસુવાવડ નો સામનો કરવો પડે.આ અનુભવ ખૂબ જ હતાશાજનક છે. એક સ્વસ્થ બાળક ને જન્મ આપવાનું સ્વપ્ન જ્યારે તૂટે ત્યારે તે શારીરિક અને માનસિક રીતે ખૂબ જ કષ્ટદાયક બની જતું હોય છે. જો તમે પણ વારંવાર કસુવાવડ નો સામનો કરી રહ્યાં છો તો તમારે તેની પાછળ રહેલા કારણો ને સમજવાની જરૂર છે. જેથી આ તકલીફ ન થાય. Candor IVF તમને આ બાબત વધુ માં વધુ સારી રીતે સમજવા માં મદદ કરે છે.

✓ કસુવાવડ પાછળ ન મુખ્ય કારણો:

1. આનુવંશિક અસામાન્યતાઓ

ગર્ભમાં આનુવંશિક અસામાન્યતાઓ વારંવાર કસુવાવડનું એક મુખ્ય કારણ હોઈ શકે છે. જ્યારે ગર્ભના રંગસૂત્રો ની સંખ્યા માં કોઈ પ્રોબ્લેમ હોય છે, ત્યારે ગર્ભનો વિકાસ થતો નથી અને કસુવાવડ થઈ શકે છે. આ અસામાન્યતાઓ માતા અથવા પિતા તરફથી વારસામાં મળી શકે છે.

1. આનુવંશિક અસામાન્યતાઓ - image

2. હોર્મોનલ અસંતુલન

સ્વસ્થ ગર્ભધારણ માટે શરીર માં હોર્મોન્સ નું સંતુલન જળવાઈ રહેવું જરૂરી છે. પ્રોજેસ્ટેરોન હોર્મોન જો સારી રીતે કામ કરે તો તરત જ ગર્ભ ધારણ કરી શકાય છે. જો પ્રોજેસ્ટેરોન નુ પ્રમાણ ઓછું હોય તો ગર્ભ ધારણ કરવા માટે મુશ્કેલી પડી શકે છે.

2. હોર્મોનલ અસંતુલન - image

3. ગર્ભાશયની સમસ્યાઓ

ગર્ભાશયનો આકાર અથવા રચનામાં કોઈ અસામાન્યતા હોય, જેમ કે ફાઈબ્રોઈડ્સ, પોલિપ્સ ,ગર્ભાશયનું પડદાવાળું હોવું અથવા ગર્ભાશયની નબળી અસ્તર, તો ગર્ભનો વિકાસ મુશ્કેલ બની શકે છે, જેના કારણે કસુવાવડ થઈ શકે છે.

3. ગર્ભાશયની સમસ્યાઓ - image

4. ઓછી રોગપ્રતિકારક શક્તિ

કેટલીક વખત માતા ની ઓછી રોગપ્રતિકારક શક્તિ તેને ગર્ભ ધારણ કરવા માટે રોકે છે. વારંવાર બીમાર પડવું, શરીર માં નબળાઈ આવવી આ બધું કસુવાવડ પાછળ જવાબદાર હોય છે.

4. ઓછી રોગપ્રતિકારક શક્તિ - image

5. નકારાત્મક લાઇફસ્ટાઇલ

નીચેના પરિબળો પણ કસુવાવડના જોખમને વધારી શકે છે, જેમ કે,

  • ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન
  • અતિશય કેફીનનું સેવન
  • અસ્વસ્થ આહાર અને પોષણની ઉણપ
  • અતિશય તણાવ
  • વધારે વજન અથવા ઓછું વજન
5. નકારાત્મક લાઇફસ્ટાઇલ - image

યાદ રાખો, આ લડાઈ માં તમે એકલા નથી.

વારંવાર કસુવાવડનો સામનો કરવો એકલા ન કરો. જો તમે વારંવાર કસુવાવડનો સામનો કરી રહ્યા છો, તો તમારે નિષ્ણાત ડોક્ટરી સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. CANDOR IVF ખાતે અમારા અનુભવી ફર્ટિલિટી નિષ્ણાતો તમારી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે, જરૂરી ટેસ્ટ કરશે અને તમને યોગ્ય કારણો અને સંભવિત ઉકેલો વિશે માર્ગદર્શન આપશે. અમે તમારી પિતૃત્વની યાત્રામાં તમારી સાથે છીએ અને તમને આશા અને સહાયતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

Blogs

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે

શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

Read More »
IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

Read More »
ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે? Candor IVF ની વિશેષ સલાહ

ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમય માં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Read More »