IVF ની યાત્રામાં તણાવ નિયંત્રણ – નિષ્ણાતની સલાહ.

IVF ની યાત્રામાં તણાવ નિયંત્રણ - નિષ્ણાતની સલાહ

માણસ એ સામાજિક અને લાગણીશીલ પ્રાણી છે. રોબોટ તણાવ નો અનુભવ ન કરે કારણ કે, એમાં લાગણીનો અભાવ છે. જ્યારે શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત વાત હોય કે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માણસ ઘણી વખત પડકારો નો સામનો કરી શકતો નથી. આવું જ કઈક IVF ની બાબત માં જોવા મળે છે. ક્યારેક ધાર્યા મુજબ સફળતા ન મળે તો તણાવ નો અનુભવ એ સામાન્ય છે. પણ જો આ તણાવ લાંબા સમય સુધી માણસ ના મન માં રહે તે તે માનસિક રોગ માં પરિણમે છે.

માનસિક રોગ પણ ગર્ભાવસ્થા પર ખરાબ અસર પહોંચાડે છે એટલા માટે IVF ની યાત્રા દરમિયાન તણાવમુક્ત રહેવું ખૂબ જરૂરી છે.

ચાલો જાણીએ કે તણાવ ને નિયંત્રણ માં રાખવા માટે શું કરી શકાય.

IVF માં જ્યારે ધાર્યા મુજબ ની સફળતા ન મળે ત્યારે તણાવ નો અનુભવ થાય કે કંટાળી જવાય એ સ્વાભાવિક છે.

1) હળવી કસરત કરો

કસરત કરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને કંટાળો આવતો નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે. તેથી આજના સમય માં બેઠાડું લાઈફસ્ટાઈલ ટાળવી જોઈએ અને શરીર નું હલનચલન વધારવું.

2) પાર્ટનર સાથે વધુ સમય વિતાવો

માણસ ને એકલતા નો અનુભવ ગમતો નથી એટલા માટે બને એટલું પાર્ટનર સાથે વાતો કરવી, બહાર ફરવા જવું, ડિનર પર જવું, મૂવી જોવા જવાનું રાખવું. જેથી તણાવ ઓછો થાય.

3) સંગીત સંભળાવું

હળવું પસંદ નું સંગીત સંભળાવું એ પણ મન ને શાંત કરે છે. જેની ગર્ભાવસ્થા પર પોઝીટીવ અસર પડે છે.

4) સાયકોલોજિસ્ટ ની સલાહ લો

ઘણી વખત શારીરિક સમસ્યા ના મૂળ માનસિક સ્વાસ્થ્ય માં છુપાયેલા હોય છે. તેથી મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ની સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે. જો વધુ પડતું લાગે તો સાયકોલોજિસ્ટ ની બતાવો.

આવા નાના પગલાં ભરીને તણાવ ને કંટ્રોલ કરી શકાય છે અને IVF ની યાત્રા ને સુખદ બનાવી શકાય છે. Candor IVF માત્ર ઑપરેશન જ નહી પણ મેન્ટલ હેલ્થ પાછળ પણ એટલું જ ધ્યાન આપે છે. ચિંતા ન કરો, Candor IVF તમારી સાથે છે.

Blogs

લગ્ન પછીનું સૌથી મોટું સપનું – માતૃત્વ!

લગ્ન પછીનું સૌથી મોટું સપનું – માતૃત્વ!

લગ્ન એ માત્ર બે સાથીઓના દિલ નો જ નહી, પરંતુ બે સપનાઓ નો મેળાપ છે. લગ્ન ના થોડા વર્ષો પછી પોતાના ઘર માં કિકિયારીઓ ગૂંજી ઉઠે એવું દરેક દંપતીઓ ઇચ્છતી હોય છે. પણ ઘણી વાર આ યાત્રા સરળ નથી હોતી. આવી જ કંઈક કહાની દિવ્યેશ અને મહેકની છે.

Read More »
માતૃત્વનો દીવો પણ પ્રગટાવો Candor IVF

આ નવરાત્રી પર, માત્ર દીવો નહીં… માતૃત્વનો દીવો પણ પ્રગટાવો!

નવરાત્રી સાંભળતા જ મન આનંદથી ઝૂમી ઊઠે છે, સાચું ને! આ ઉત્સવ માત્ર આનંદ અને ગરબા નો નથી, પણ સાથે સાથે નવી શરૂઆત કરવાનો પણ આ ઉત્તમ સમય છે.


Read More »