IVF ની યાત્રામાં તણાવ નિયંત્રણ – નિષ્ણાતની સલાહ.

IVF ની યાત્રામાં તણાવ નિયંત્રણ - નિષ્ણાતની સલાહ

માણસ એ સામાજિક અને લાગણીશીલ પ્રાણી છે. રોબોટ તણાવ નો અનુભવ ન કરે કારણ કે, એમાં લાગણીનો અભાવ છે. જ્યારે શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત વાત હોય કે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત માણસ ઘણી વખત પડકારો નો સામનો કરી શકતો નથી. આવું જ કઈક IVF ની બાબત માં જોવા મળે છે. ક્યારેક ધાર્યા મુજબ સફળતા ન મળે તો તણાવ નો અનુભવ એ સામાન્ય છે. પણ જો આ તણાવ લાંબા સમય સુધી માણસ ના મન માં રહે તે તે માનસિક રોગ માં પરિણમે છે.

માનસિક રોગ પણ ગર્ભાવસ્થા પર ખરાબ અસર પહોંચાડે છે એટલા માટે IVF ની યાત્રા દરમિયાન તણાવમુક્ત રહેવું ખૂબ જરૂરી છે.

ચાલો જાણીએ કે તણાવ ને નિયંત્રણ માં રાખવા માટે શું કરી શકાય.

IVF માં જ્યારે ધાર્યા મુજબ ની સફળતા ન મળે ત્યારે તણાવ નો અનુભવ થાય કે કંટાળી જવાય એ સ્વાભાવિક છે.

1) હળવી કસરત કરો

કસરત કરવાથી મન પ્રફુલ્લિત રહે છે અને કંટાળો આવતો નથી અને શરીર પણ સ્વસ્થ રહે છે. તેથી આજના સમય માં બેઠાડું લાઈફસ્ટાઈલ ટાળવી જોઈએ અને શરીર નું હલનચલન વધારવું.

2) પાર્ટનર સાથે વધુ સમય વિતાવો

માણસ ને એકલતા નો અનુભવ ગમતો નથી એટલા માટે બને એટલું પાર્ટનર સાથે વાતો કરવી, બહાર ફરવા જવું, ડિનર પર જવું, મૂવી જોવા જવાનું રાખવું. જેથી તણાવ ઓછો થાય.

3) સંગીત સંભળાવું

હળવું પસંદ નું સંગીત સંભળાવું એ પણ મન ને શાંત કરે છે. જેની ગર્ભાવસ્થા પર પોઝીટીવ અસર પડે છે.

4) સાયકોલોજિસ્ટ ની સલાહ લો

ઘણી વખત શારીરિક સમસ્યા ના મૂળ માનસિક સ્વાસ્થ્ય માં છુપાયેલા હોય છે. તેથી મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ની સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે. જો વધુ પડતું લાગે તો સાયકોલોજિસ્ટ ની બતાવો.

આવા નાના પગલાં ભરીને તણાવ ને કંટ્રોલ કરી શકાય છે અને IVF ની યાત્રા ને સુખદ બનાવી શકાય છે. Candor IVF માત્ર ઑપરેશન જ નહી પણ મેન્ટલ હેલ્થ પાછળ પણ એટલું જ ધ્યાન આપે છે. ચિંતા ન કરો, Candor IVF તમારી સાથે છે.

Blogs

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે

શું AC ના કારણે થતી Dry Air તમારા ગર્ભધારણના ચાન્સને અસર કરે છે?

આધુનિક જીવનશૈલી મુજબ જોવા જઈએ તો કોઈ પણ ઋતુ હોય AC વગર લોકો ને ચાલે એમ નથી. ખાસ તમારા બેડરૂમ માં જે AC છે, તેમાંથી નીકળતી સૂકી હવા એ તમારા શરીર ને ચોક્કસપણે અસર કરી શકે છે. અહીં આપણા માટે કામની વાત એ છે કે ગર્ભધારણ વખતે શું આ AC માંથી નીકળતી સૂકી હવા એ શરીર ને અસર કરે છે કે નહીં? આ બાબત નો સીધો જવાબ હા પણ નથી અને ના પણ નથી. જો AC ની હવામાં ભેજ 40% કરતા ઓછો હોય, તો તે સર્વાઇકલ મ્યુકસના બંધારણને 5% થી 10% જેટલું પ્રભાવિત કરી શકે છે

Read More »
શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે

શું તમારા બ્લડ ગ્રુપ અને ફર્ટિલિટી વચ્ચે કોઈ સંબંધ છે? જાણો કયા બ્લડ ગ્રુપની મહિલાઓએ વહેલું પ્લાનિંગ કરવું જોઈએ.

માણસની જીવન જરૂરિયાતની બાબતોમાં પાણી પછી બીજું સ્થાન લોહીનું છે. આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું રહે તો જ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આ બધું આપણે સ્કૂલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ભણ્યા છીએ. આ બ્લોગમાં આપણે એવી વાત કરવી છે કે કઈ રીતે તમારું બ્લડ ગ્રુપ ફર્ટિલિટી સાથે જોડાયેલું છે અને કયા પ્રકારના બ્લડ ગ્રુપવાળા માણસોએ ફેમિલી પ્લાનિંગ વહેલું શરૂ કરવું જોઈએ.

Read More »
શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે

શું દાદા-પરદાદાની આદતો તમારા IVF સફળતાના દરને અસર કરી રહી છે?

જ્યારે આપણે સંતાનપ્રાપ્તિ માટે સંઘર્ષ કરતા હોઈએ છીએ, ત્યારે આપણી નજર હંમેશા વર્તમાન સમય માં જ હોય છે. આપણે વિચારીએ છીએ કે કદાચ આપણી આજની ભાગદોડભરી જિંદગી, ઓફિસનું ટેન્શન, પ્રદૂષણ કે આપણો ખોરાક જવાબદાર છે. પરંતુ ૨૦૨૬ ના આ આધુનિક યુગમાં, વિજ્ઞાન એક એવી ખાસ વાત તરફ ઈશારો કરી રહ્યું છે જે સેંકડો વર્ષ જૂનું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી નસોમાં વહેતું લોહી માત્ર DNA ની માહિતી જ નહીં, પણ તમારા પૂર્વજોના અનુભવોની યાદો પણ લઈને ફરે છે?

Read More »