આ નવરાત્રી પર, માત્ર દીવો નહીં… માતૃત્વનો દીવો પણ પ્રગટાવો!

માતૃત્વનો દીવો પણ પ્રગટાવો Candor IVF

નવરાત્રી સાંભળતા જ મન આનંદથી ઝૂમી ઊઠે છે, સાચું ને! આ ઉત્સવ માત્ર આનંદ અને ગરબા નો નથી, પણ સાથે સાથે નવી શરૂઆત કરવાનો પણ આ ઉત્તમ સમય છે.

આ સુંદર તહેવાર આપણાં ઘરમાં તો ઉજાસ ફેલાવે જ છે, પણ માતૃત્વ ધારણ કરીને દિલમાં પણ નવી કિરણો ફેલાવે છે. છતાં આજના સમયમાં દરેક મહિલાઓ માટે માતૃત્વની સફર સરળ નથી. સમાજની અપેક્ષાઓ, ચિંતા અને આંતરિક સંઘર્ષો તેને કઠિન બનાવી દે છે. એવામાં માતાજીનો આશીર્વાદ અને Candor IVF હંમેશાં તમારી સાથે છે.

ચાલો જાણીએ કે આ નવરાત્રી, માતૃત્વ તરફ આગળ વધવા માટે કયા 6 મહત્વના પગલા લઈ શકાય:

પ્રાર્થના સાથે પોઝિટિવિટી

માતાજીની દિલથી પ્રાર્થના કરો. તેનાથી સકારાત્મક ઊર્જા મળશે અને આધ્યાત્મિક શક્તિ વધશે. કહેવત છે – દવા સાથે દુઆ પણ કામ કરે છે.

ડૉક્ટરની સલાહ

નિયમિત રીતે નિષ્ણાત IVF ડૉક્ટરની સલાહ લો. જેમ લોકો કહે છે કે ડોક્ટરો ભગવાનનું બીજું સ્વરૂપ છે, તેમ યોગ્ય માર્ગદર્શનથી માતૃત્વની આશા જીવંત રાખો.

માનસિક શાંતિ

આ નવરાત્રી મન મૂકીને ગરબા રમો. મન હળવું થશે, ટેન્શન ઘટશે અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત બનશે. આ પણ માતૃત્વ તરફ આગળ વધવાનું મહત્વનું પગલું છે.

પૌષ્ટિક પ્રસાદ

માતાજીની આરતી પછી હળવો અને પૌષ્ટિક પ્રસાદ લો. તેનાથી તંદુરસ્તી અને શક્તિ બંનેમાં વધારો થશે અને શરીરને હળવાશ અનુભવાશે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ

જો વધુ ચિંતા થતી હોય તો હળવું સંગીત સાંભળો, ધ્યાન કરો કે યોગ કરો. આથી સારવારમાં પણ પોઝિટિવ અસર થશે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ સારું થશે.

સમયસર ચેકઅપ

નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવાથી માતૃત્વની શક્યતાઓ અંગે સ્પષ્ટતા મળે છે અને સફર કઈ દિશામાં આગળ વધી રહી છે તે જાણી શકાય છે. સમયસર ચેકઅપ કરાવવાથી સફળ માતૃત્વની સંભાવનાઓ ઘણી વધી જાય છે.

તો આ નવરાત્રી, માત્ર દીવો જ નહીં… આશાનો દીવો પણ પ્રગટાવો.
યાદ રાખો, માતૃત્વની સફર હવે મુશ્કેલ નથી. Candor IVF – તમારી આશાને હંમેશાં જીવંત રાખવા માટે પ્રયત્નશીલ છે.

Blogs

શિયાળાની ઋતુ અને IVF શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે

શિયાળાની ઋતુ અને IVF: શું ઠંડુ હવામાન ખરેખર તમારા ગર્ભધારણનો દર વધારે છે?

સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઠંડી વધારે પડે છે તેથી ઘણા નવદંપતિઓના મનમાં એક સવાલ હોય છે કે, શું હવામાન અને ઋતુ એ ગર્ભધારણ માં અસર કરી શકે છે?

Read More »
IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

IVF પરામર્શ કોણે કરાવવું જોઈએ? જાણો કઈ 3 પરિસ્થિતિઓમાં ડૉક્ટરને મળવું અનિવાર્ય છે

માનવ જીવનનું મુખ્ય ધ્યેય સુખ અને સફળતા મેળવવાનું છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું સુખ સંતાન પ્રાપ્તિનું છે. પરંતુ ઘણી વખત અનેક પ્રયત્નો પછી પણ સંતાનપ્રાપ્તિ ન થાય તો પરિસ્થિતિ નિરાશાજનક બની જાય છે. ક્યારેક IVF સારવારની પણ જરૂર પડી શકે છે.

Read More »
ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે

ન્યુ યર પાર્ટી અને એગ ક્વોલિટી: શું આલ્કોહોલનો નાનો ગ્લાસ પણ IVF ને નુકસાન પહોંચાડે છે? Candor IVF ની વિશેષ સલાહ

ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે અને 31 ડિસેમ્બર આવી રહી છે. આ સમય માં ગમે તે માણસ પાર્ટી અથવા મોજ મસ્તી ના મૂડ માં આવી જતો હોય છે.જો તમે IVF સારવાર હેઠળ છો અને તમને પણ પ્રશ્ન છે કે, શું હું એક આલ્કોહોલ નો નાનો ગ્લાસ લઈ શકું? આ પ્રશ્ન ના જવાબ માટે Candor IVF ના નિષ્ણાંત ડોક્ટરો આલ્કોહોલ ની એગ ક્વોલિટી પર થતી અસર ને વૈજ્ઞાનિક રીતે સમજાવે છે.

Read More »