
શું બીજાની પ્રેગ્નન્સીના સમાચાર તમારી IVF સફળતાને માનસિક રીતે રોકી રહ્યા છે?
એક દૃષ્ટિ એ જોવા જઈએ તો આજે સુખ, શાંતિ, સમૃદ્ધિ ઉપર એકલાપણું અને ટેન્શન હાવિ છે. આપણા માટે આ ખૂબ જ ગંભીર બાબત કેહવાય. ઉપર થી માણસ ના મનનો સ્વભાવ એવો છે કે, એ નકારાત્મક વિચારો પર પેહલા કેન્દ્રિત થાય છે. 2026 માં આધુનિક જીવનશૈલી માં લોકોની માનસિકતા માં પણ પરિવર્તન આવ્યું છે. લોકો આજના સમય માં બીજાનું સારું સાંભળી શકતા નથી. અન્યનાં જીવન માં કોઈ સારી ઘટના બને છે તો તરત જ તેના મન માં ઈર્ષ્યા જેવા ખરાબ ભાવો પેદા થાય છે. આ તમામ બાબતો પાછળ એક જ કારણ છે, લોકો ને એકબીજા પ્રત્યે રહેલા પૂર્વગ્રહો.







